ડુંગળીના રસનો નાભિ પર લેપ કરવાથી ઝાડાની તકલીફ દૂર થાય છે.
-અપચાની તકલીફ હોય તો ડુંગળીના રસમાં થોડું મીઠું નાખીને પીવાથી રાહત થશે.
-દમના દર્દીઓ માટે સફેદ ડુંગળીના રસમાં મધ નાખીને પીવું લાભદાયક પૂરવાર થઈ શકે છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપની સમસ્યા પણ દૂર થાય છે.
-હાઈ બ્લડપ્રેશરના દર્દીઓએ કાચી ડુંગળીના પ્રયોગથી લોહીનું દબાણ ઘટાડી શકે છે.
-ઉલ્ટીઓ થઈ રહી હોય તો ડુંગળીના ટુકડામાં મીઠું લગાવીને ખાવાથી રાહત મળે છે.
-માનસિક તાણની તકલીફ હોય તેવા દર્દીઓ માટે પણ ડુંગળી હિતાવહ છે. કારણ કે ડુંગળીમાં રહેલું એક ખાસ પ્રકારનું રસાયણ માનસિક તણાવ દૂર કરવામાં મદદરૂપ પૂરવાર થાય છે.
-દાંતનો દુખાવો થાય તો દાંત નીચે ડુંગળીનો એક નાનો ટુકડો દબાવી લેવો. તેનાથી આરામ મળશે.
-ડુંગળી આંખોનું તેજ વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
લોકમુખે