ગરીબ કલ્યાણ મેળાનો અમરેલીથી પ્રારંભ કરતા નરેન્દ્ર મોદી – ૩૦૦૦મા દીવસની ગુજરાતને ભેટ.

શુભારંભ:
કાર્યક્રમની શરૂઆતમાં રંગારંગ લોકનૃત્યો અને રાસ-ગરબાની કૃતિઓ શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનોએ રજૂ કર્યા હતા. જેમાં રાજસ્થાની લોકનૃત્ય અને આસામીયા નૃત્યો અને ગુજરાતી ગરબાની કૃતિઓ લોકોએ માણી હતી. અમરેલી જાહેર જીવનના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના રાજ્ય વહીવટમાં એકધારા ૩૦૦૦ દિવસના શાસનનો વિક્રમ સર્જનારા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના છેવાડાના ગરીબ માનવી સુધી વિકાસના લાભો પહોંચાડવાના મક્કમ નિર્ધાર સાથે આજથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લાવાર મહત્ત્વાકાંક્ષી આયોજન શરૂ કર્યું છે. આજે રાજ્યનો સૌ પ્રથમ ગરીબ કલ્યાણ મેળો અમરેલીમાં યોજવામાં આવ્યો હતો. જેમાં અમરેલી, બાબરા, વડીયા, બગસરા, લાઠી અને લિલીયાના મળી છ તાલુકાઓના ગામડા ખૂંદીને સરકારી અધિકારીઓએ વ્યક્તિગત ગરીબલક્ષી યોજનાના લાભાર્થીઓને સામે ચાલીને લાભો લેવા માટે ગરીબ કલ્યાણ મેળામાં આમંત્રણ આપ્યું હતું. સરકારની અનેકવિધ એવી ૬૪ જેટલી કલ્યાણ યોજનાઓના લાભોનું એક જ સ્થળેથી વિતરણ કરવાના આ ઉપક્રમમાં એકંદરે ૧ર૦.૬૯ કરોડ રૂપિયાના લાભો સ્વરૂપે સાધન-સહાયનું વિતરણ ૬૩૦૮૯ લાભાર્થીઓને હાથોહાથ મુખ્ય મંત્રીશ્રી તથા અન્ય મંત્રીશ્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ સંઘાણી, સૌરભભાઈ પટેલ, કિરીટસિંહજી રાણા, ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી પુરૂષોત્તમ રૂપાલા અને દંડક શ્રી આર. સી. ફળદુએ કર્યું હતું.
અમરેલીના કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલના પટાંગણમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ભાઇ-બહેનો આ ગરીબ કલ્યાણ મેળામાં ઉમટી પડયા હતા અને આ પ્રકારના યોજનાઓના સ્થળ પર જ લાભ મળતા તેઓમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.

સ્વાગત:જિલ્લા કલેકટર શ્રી પી. આર. સોમપુરાએ મહાનુભાવો અને જનસમૂહનું સ્વાગત કર્યું હતું.

અભિવાદન:
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થી તેમજ સહકારી અગ્રણીઓ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી અભિવાદન કરાયું હતું.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી:
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગરીબ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરતાં જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં જિલ્લાવાર મળીને એકંદરે પ૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓમાં રપ લાખ જેટલા ગરીબ છેવાડાના માનવીઓને બધા મળીને રૂ. ૧પ૦૦ કરોડના વિવિધલક્ષી લાભો સીધેસીધા મળી જશે. ‘‘આ સરકાર નિરાધારોના નોંધારાના આધાર તરીકે સેવારત છે. કોઇ માલેતુજારની નથી’’ એની પ્રતીતિ અમે કરાવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
અમરેલી જીલ્લાના છ તાલુકાઓના હજારો લાભાર્થીઓના પરિવારોની વિશાળ ઉપસ્થિતિને સંબોધતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, અમરેલીના જ અને રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી સ્વ. ર્ડા. જીવરાજ મહેતાની ભૂમિ ઉપરથી સ્વર્ણિમ ગુજરાત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો અને આજે વર્તમાન સરકારના ૩૦૦૦ દિવસ પુરા થઇ રહ્યા છે ત્યારે સરકાર તેનો ગરીબો, વંચિતોના કલ્યાણ માટેનો સંકલ્પ પૂર્ણ કરવા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ પણ આજથી શરૂ કરી રહી છે.
ગુજરાતની સ્થાપના પછી અનેક યોજનાઓ અને અબજો રૂપિયાના બજેટો થતા રહ્યા. નાણાં ખર્ચાતા રહ્યા પણ ગરીબ ઠેરનો ઠેર જ રહ્યો એનું કારણ એ છે કે સરકારી યોજનાના લાભો પહોંચાડવા માટે સરકારી તંત્ર સંવેદનશીલ હોવું જોઇએ. આ સરકારે ગામેગામથી સરકારી ગરીબ લાભાર્થીને સામે ચાલીને તેના હક્કનું મળે તે માટે તંત્રને સંવેદનશીલ બનાવ્યું છે, એમ તેમણે જાહેર કર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ લાભાર્થી એના હક્કના લાભો પારદર્શી રીતે મેળવશે. કોઇ આંગળી ચીંધી નહીં શકે, કોઇ આક્ષેપ નહીં કરી શકે એવો આ ગરીબ કલ્યાણ મેળો એક પ્રકારે વચેટીયા નાબૂદી મેળો છે. સરકાર અને ગરીબ માનવી વચ્ચે કોઇ સ્થાપિત હિતો ગરીબના હક્ક ઝૂંટવી નહીં શકે. ગુજરાતની સ્થાપના પછી ભૂતકાળમાં સ્થાપિત હિતો ભ્રષ્ટશાસન વ્યવસ્થાની કુખે જન્મતા હતા. હવે આ ઓશિયાળી જીંદગીમાંથી ગરીબ-વંચિતને મુકત કર્યા છે.
ગત પ૦ વર્ષમાં ગુજરાતમાં ભૂમિહીન ઘરવિહોણા ગરીબોને જેટલા ગામતળના પ્લોટ મળ્યા હતા. એનાથી વધારે પ્લોટ આ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી જાન્યુઆરી-ર૦૧૦ સુધીમાં આપી દેવાશે એવી જાહેરાત તેમણે કરી હતી.
સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના ગરીબ કલ્યાણ મેળામાં સામે ચાલીને આ સરકાર ગરીબ વંચિતને વિકાસના પ્રત્યક્ષ લાભો આપવાના આશયથી યોજયો છે, કોઇ ચૂંટણી એજન્ડાનો રાજકીય આશય રાખ્યો નથી.
મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, આ હક્કનું છે, સરકાર કોઇ દયાદાન નથી કરતી. આપનું છે અને આપને આપ્યું છે, જે ભૂતકાળમાં મળતું નહોતું, સ્થાપિત હિતો હક્ક છીનવી લેતા હતા. હવે ગરીબ, વંચિત માનવીની જુંદગીમાં સાચા અર્થમાં બદલાવ લાવશે. આનો પુરેપુરો લાભ લઇને વિકાસની તકો અને અવસરો ઝડપી લેવા તેમણે અપીલ કરી હતી. આ સરકારની વિવિધલક્ષી યોજનાના લાભોની ભૂમિકા તેમણે આપી હતી.
આ જ તંત્ર અને આ જ સરકારી વહીવટી માળખું ગરીબો, દુખિયારાના હક્કો આપવા સામે ચાલીને પૂછી રહી છે. કારણ કે, સરકારે તંત્રમાં સંવેદનશીલતા પ્રગટાવી છે, કોઇપણ ગરીબ એવું નહીં હોય જેને હક્ક અને લાભોથી વંચિત રહેવા નહીં દેવાય તેવી નેમ તેમણે વ્યકત કરી હતી અને ગરીબ-વંચિત પરિવારો પોતાના વિકાસ સાથે સંતાનોને શિક્ષિત બનાવે એવી હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની સરકાર તો ગરીબ અને વંચિતોને તેના લાભો આપવા ગામડાના ઘરેઘરમાં ઘૂમી રહી છે. પરંતુ મોંઘવારીના ભરડામાં પિસાતી ગરીબ જનતા અને ગૃહિણીઓ માટે ભડકે બળતા ચીજવસ્તુઓના ભાવોથી જીવન દોહ્યલું બની ગયું છે ત્યારે મોંઘવારી ડામવાને બદલે ટુકડા ફેંકીને વોટ મેળવવાની ચિંતા કરનારા સામે આ સરકારે ગરીબોને સામર્થ્યવાન બનાવવા, આત્મવિશ્વાસથી નવી ચેતના જગાવીને ગરીબો માટે નક્કર લાભો અને હક્કો આપવા જિલ્લે જિલ્લે જવાની છે, તેમ તેમણે જાહેર કર્યું હતું.
આ ગરીબ કલ્યાણ મેળો સાચા અર્થમાં ગરીબોના હક્કનું રક્ષણ કરશે અને ગરીબોને ઓશિયાળી રીતે મદદ માટે હાથ લંબાવવાની નોબત ન આવે તે માટે છે, એમ પણ તેમણે જાહેર કર્યું હતું.

મહેમાનોઃ
આ પ્રસંગે રાજ્યના ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, અમરેલીના સંસદસભ્ય શ્રી નારણભાઈ કાછડીયા, ધારાસભ્ધ્યો શ્રી આર. સી. ફળદુ, શ્રી મનસુખભાઈ ભૂવા, નગરપાલિકાના પ્રમુખ શ્રી નટુભાઈ સોજીત્રા, ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સંસદીય સચિવ શ્રી એલ. ટી. રાજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અંજુ શર્મા, જિલ્લા કલેકટર શ્રી પી. આર. સોમપુરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર. જી. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા:
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ ગરીબ કલ્યાણ મેળો રાજ્ય સરકારની સંવેદનાનું પરિણામ છે. ભૂતકાળમાં વર્ષો સુધી આમ જનતાના પ્રશ્નો વહીવટી પ્રક્રિયામાં અટવાઇ જતા હતા અને ગરીબ લોકો સુધી લાભો પહોંચતા ન હતા. પરંતુ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આખી સરકાર ગરીબોના ઘરઆંગણે પહોંચી છે. ભૂતકાળની સ્થિતિમાં પરિવર્તન આવ્યું છે અને આ પરિવર્તન નાગરિકો જ લાવ્યા છે. લોકશાહી માર્ગે જ લોકોએ નવી સરકારને ચૂંટી. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત દશ વર્ષથી ગુજરાતનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ભૂતકાળમાં લોકોને સરકારની યોજનાના લાભો પ્રાપ્ત કરવા મથવું પડતું હતું જયારે આજે સરકાર પ્રત્યક્ષ રીતે ગરીબોના આંગણે જઇ તેમને સહાય આપે છે. રાજ્ય અને જિલ્લાના વહીવટી તંત્રને આવા મેળાના સફળ આયોજન બદલ તેમણે ધન્યવાદ પાઠવ્યા હતા.

શ્રી દિલીપભાઈ સંઘાણી:
કૃષિ મંત્રી શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ૧૦ વર્ષથી રાજ્યનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના ગરીબોને પ્રત્યક્ષ લાભ મળે તેની ચિંતા તેમણે કરી અને રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાથી આવા મંગલ કાર્યનો આરંભ થયો તે જિલ્લા માટે ગૌરવરૂપ હોવાનું તેમણે જણાવ્યું હતું.

શ્રી કિરીટસિંહ રાણા:
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વંચિતોની વિકાસ યાત્રા રાજ્ય સરકારે ગતિશીલ બનાવી છે. ગરીબોના ઉત્કર્ષ માટે રાજ્ય સરકાર ચિંતિત છે અને આથી જ આવા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થયું છે. અમરેલી જિલ્લાથી આવા કાર્યક્રમની શરૂઆત થઇ છે તે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણારૂપ બનશે. શ્રેણીબદ્ધ યોજનાઓ હેઠળ ગરીબ પરિવારોને અને છેવાડાના માનવી સુધી પહોંચવાનું રાજ્ય સરકારનું લક્ષ સિદ્ધ થયું છે.

શ્રી આર. સી. ફળદુ:
વિધાનસભાના દંડક શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતને અમરેલીએ પ્રેરણા આપી છે એવા પ્રથમ મુખ્ય મંત્રીશ્રી ર્ડા. જીવરાજ મહેતાની જન્મભૂમિ અમરેલીથી ગરીબ કલ્યાણ મેળા અભિયાનનો પ્રારંભ થયો છે. શાસનમાં બેઠેલા શાસકોનું એ કર્તવ્ય છે કે, ગરીબોનો ઉત્કર્ષ થાય તે માટે પ્રતિબદ્ધ થવું જોઇએ. પરંતુ ભુતકાળમાં તેવું થયું નથી. કલ્યાણ રાજ્યની સ્થાપનાનું વ્યવહારમાં આચરણ થયું નથી તેથી ગરીબો સમાજના મુખ્ય પ્રવાહમાં આવી શકયા નથી. સામાન્ય માનવીને નજરમાં રાખીને ગુજરાત સરકારે આવા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે તેને તેમણે સાચી દિશાનું પગલું ગણાવ્યું હતું અને કલ્યાણ રાજ્યની પ્રતીતિ કરાવે છે, તેમ ઉમેર્યું હતું.

શ્રી નારણભાઇ કાછડીયા:
અમરેલીના સંસદસભ્ય શ્રી નારણભાઇ કાછડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આજના મોંઘવારીના સમયમાં ગુજરાત સરકાર ગરીબ પરિવારોની વહારે ચડી છે અને ગરીબ કલ્યાણ મેળાની રાજ્ય વ્યાપી અભિયાનની શરૂઆત અમરેલીથી થઇ તે બદલ તેમણે ધન્યવાદની લાગણી વ્યકત કરી હતી. ગરીબોના ઘર સુધી રાજ્ય સરકાર પહોંચી છે તે આવકાર્ય છે.

ગુજરાત એશિયાનું આર્થિક પાવરહાઉસ બનશે : નરેન્દ્ર મોદી

એશિયાઈ રોકાણકારો માટે ગુજરાત ઉત્તમ સ્થળ,૧૦ ટકા કૃષિ વિકાસદર સાથે રાજય મોખરે

ઔધોગિક અને કષિક્ષેત્રે આકર્ષક વિકાસદર સાથે ગુજરાત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં હંમેશાં સફળ રહ્યું છે. ખાસ કરીને જાપાન અને સિંગાપોર સાથે સંયુકત સાહસ હેઠળ ઔધોગિક વિકાસ સાધીને ગુજરાત એશિયામાં ‘આર્થિક પાવરહાઉસ’ બનશે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

કડી ખાતે જાપાનની હિટાચી હોમ એન્ડ લાઇફ સાયન્સ (ઇન્ડિયા) લિ. (એચએચઆઇએલ)ના નવા એરકંડિશનર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘જો ગુજરાત, સિંગાપોર અને જાપાન સાથે મળીને આર્થિક વિકાસનો નકશો તૈયાર કરે તો ગુજરાત સમગ્ર એશિયાનું આર્થિક કેન્દ્ર બને તે દિવસ દૂર નથી.

એશિયાઈ અર્થવ્યવસ્થામાં પ્રભુત્વ હાંસલ કરવાની ક્ષમતા ગુજરાતમાં છે.’ ગુજરાત માત્ર ઔધોગિક વિકાસની બાબતમાં જ નહીં પણ કૃષિક્ષેત્રે ૧૦ ટકા વૃદ્ધિદર સાથે દેશમાં મોખરાનું રાજય બની ગયું છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રિયલ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએમઆઇસી – ડીએફસી) થકી ગુજરાત અને જાપાનના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે તેવો મોદીએ દાવો કર્યો હતો. ડીએમઆઇસી માટે જાપાનની કંપનીએ ગુજરાતની પસંદગી કરી છે તેની પાછળ રાજયમાં રહેલી વિકાસની અપાર તકનો મોટો ફાળો છે.

આ પ્રસંગે હિટાચીના એમ.ડી. શિનિચી લિઝુકાએ હિન્દી અને ગુજરાતી ભાષામાં વકતવ્ય આપ્યું હતું અને નરેન્દ્ર મોદીને કન્યાકેળવણી ફંડ માટે રૂ. ૧૧.૫ લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. મહેસાણાના કડી ખાતે કંપનીએ રૂ. ૧,૫૦૦ કરોડના ખર્ચે ઊભો કરેલો આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વાર્ષિક ધોરણે ૪ લાખ યુનિટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.

હિટાચી અને ગુજરાત સરકાર વચ્ચે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આ માટે એમઓયુ કરાયું હતું, જેમાં સાત માસમાં જ આ પ્લાન્ટ ઊભો કરી દેવાયો છે. કંપનીના આ પ્લાન્ટ ખાતે લાર્જ એ.સી., ચિલર પ્લાન્ટ, ડકટેબલ એ.સી. અને ટેલિકોમ એ.સી.નું ઉત્પાદન કરાશે.

શિક્ષણ વ્યવસ્થા, ડોનેશન પ્રથા અને ગુજરાતી વેપારી કલ્ચરની સમજ.

આપણી શિક્ષણ વ્યવસ્થા બદલવા માટે લાંબા સમય પછી કેન્દ્ર સરકારે વિચારણા હાથ ધરી છે કેન્દ્રનાં માનવ સંશાધન પ્રધાન કપિલ સિબ્બલે અલબત્ત ચીલાચાલુ પઘ્ધતિથી ડોનેશન પ્રથા ઉપર પ્રહાર કરતા વિધાનો પાટનગરમાંથી તરતા મુકયા છે. આમ પણ અત્યારે શિક્ષણની મોસમ ચાલે છે એટલે કપિલ સીબ્બલને સારી લીડરશીપ અને વ્યુઅરશીપ મળે તે સ્વાભાવિક છે પરંતુ આવા વિરાટ દેશમાં શિક્ષણ વ્યવસ્થામાં ઉતાવળે કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો ઘણો જ જોખમી છે. નવી શિક્ષણનિતી જયારે આવી ત્યારે એને શિક્ષકો સીવાયનાં આખા સમાજે વધાવી લીધી શિક્ષકો જો વધાવે તો સમજવુ કે જે નવી પોલીસી આવી છે તે એક વધારે પડતી શિક્ષકોની આળસ આરામમાં વૃદ્વિ કરનારી હશે. ક્ષમતાલક્ષી શિક્ષણ આવ્યું એટલે કે પાઠય પુસ્તકમાં દરેક પાઠમાં વિદ્યાર્થીની કંઇ કંઇ ક્ષમતાનો વિકાસ થાય છે એનો પણ ઉલ્લેખ આવવા લાગ્યો ત્યારથી આજ સુધીમાં શિક્ષકોએ એ પાઠ એક ક્ષમતાઓને ઘ્યાનમાં રાખીને ભણાવ્યો હોય એવું કેળવણી નિરીક્ષકોના ઘ્યાનમાં હજુ સુધી આવ્યું નથી. મેડીકલ અને એન્જીનીયરીંગના લેવાતા ડોનેશનની વિરૂઘ્ધમાં પણ માનવ સંશાધન પ્રધાને ઉતાવળમાં વિધાનો કર્યા છે પરંતુ જે સેલ્ફ ફાયનાન્સ કોલેજો છે અને તેમા જે મેનેજમેન્ટ કવોટા છે એ જો વાજબી હોય તો કોલેજના નિભાવ ખર્ચ તરીકે જ લેવામાં આવે છે. ગુજરાતીઓએ અત્યાર સુધી અબજો રૂપિયા દક્ષિણ ભારતની સારી, મઘ્યમ અને બોગસ કોલેજોમાં સત્તાવાર રીતે આપ્યા જ છે. આજે પણ એ પ્રવાહ આંશિક રીતે તો ચાલુ જ છે દક્ષિણ ભારતની એ સંસ્થાઓમાં ૨૦૦૯ નું વર્ષ એ પહેલુ એવુ વર્ષ છે કે એમને માટે મંદિનો અનુભવ કરાવશે. આપણે ત્યાં આજે જેમ બી.એડ.અને પી.ટી.સી. કોલેજોનાં બંધઘાટનોની મૌસમ શરૂ થઇ ગઇ છે એ પ્રમાણે દક્ષિણમાં પણ એન્જિનીયરીંગ કોલેજોની બંધઘાટનોની મૌસમ શરૂ થઇ ગઇ છે. આપણે ત્યાં આ વર્ષે સંખ્યાબંધ એન્જિનીયરીંગ કોલેજો શરૂ થઇ રહી છે તેમા પણ વિદ્યાર્થીઓ છેતરાય જાય તેવા પુરા ચાન્સીસ છે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી દેખાય છે તો ચિત્તા જેવી પરંતુ એક સારા રાની બિલાડા જેવું કામ આપે તોય ઘણું છે મોટાભાગની સરકારે મંજુર કરેલી નવી એન્જિનીયરીંગ કોલેજોમાંથી કેટલીક માં હજુ સ્ટાફનો ધડો નથી લાયકાત પ્રમાણેનાં પ્રિન્સીપાલનો પણ પત્તો નથી પુરતી તપાસ કર્યા વિના નવી કોલેજોમાં જેઓને એડમીશન મળશે તેમની હાલત સાથે છંછુદરનો આહાર કર્યા જેવી થશે. ગુજરાતીઓની એક સૌથી મોટી ખુબી છે જે પાટે ગાડી ચાલી તે પાટે ચાલી બી.ટી. કપાસ એટલે બી.ટી.કપાસ. બોલગાર્ડ-૨ નો રવાડો ચડે તથા ગુજરાતી વેપારી કલ્ચરની ખાટીમીઠી વાત એટલે પછી એજ દેખાય, બીજું કંઇ દેખાય નહી. એક જમાનામાં આપણે ત્યાં નવા નવા કેમેરાઓની શોધ થવાના કારણે જે ફોટોગ્રાફી માટેના સ્ટુડીયો માત્ર શહેરોમાં હતા તેનો વ્યાપ વધવા લાગ્યો. પતી ગઇ વાત. ગુજરાતીઓને સ્ટુડીયોમાં લક્ષ્મીના દર્શન થયા. આદુ ખાયને સ્ટુડીયોની પાછળ પડી ગયાં પછી આવ્યા બાપા ટાઇપ કલાસ. જયાં જુઓ ત્યાં ટાઇપ કલાસ. એના પછી આવ્યા અંકલ સામ પિત્રોડાનાં એસટીડી પી.સી.ઓ. ! જયાં જુઓ ત્યાં એસ.ટી.ડી., આઇ.એસ.ડી. પી.સી.ઓ. ! પીળા પટ્ટા અને કાળા અક્ષર દુકાનો પર મંડયા લાગવા. એના પછી આવ્યા કોમપ્યુટર કલાસ. ગુજરાતીઓને ખબર પડી કે આ કોમ્પ્યુટર જ લક્ષ્મીયંત્ર છે. ધમધોકાર એમાં કમાયા. કોમપ્યુટર કલાસે ઇંગ્લીશનાં કલાસીસને પણ ધોય નાખ્યા. લોકો ઇંગ્લીશ ઘેર બેઠા શીખવા લાગ્યા અને કોમ્પ્યુટર માટે કલાસમાં જવા લાગ્યા. કોમ્પ્યુટર કલાસ પછી આવ્યા અત્યારનાં, ધુમ મચાવતા, ચમક દમકવાળા મોબાઇલ શોરૂમો… આના પછી હવે શું આવશે ?… ચતુર કરો વિચાર.

એટલે ગુજરાતીઓ તો મેનેજમેન્ટ કવોટામાં ફાર્મસીમાં ચાર લાખ અને મેડીકલમાં આઠ લાખ આપે તો એને પોસાય કારણ કે, પછી બજારમાંથી એ રૂપિયો પાછો ખેચવાની હેસીયત ગુજરાતીની છે, મરાઠી, બંગાળી કે પંજાબીની નથી. જયાં પૈસા દેખાય ત્યાં ગુજરાતી કંઇ વિણવા નથી લાગતા, જયાં પૈસા દેખાય ત્યાં એ પોતે પહેલા પૈસા નાખે છે અને પછી આપોઆપ જ અનેક ગણા થઇને એ પૈસા એને પાછા મળે છે. સમી સાંજે પુત્રવધુએ બનાવેલી કઢી ખીચડી અને રોટલો ખાઇ માથે ટોપી પહેરી ઝભ્ભો અને ધોતીયું પહેરી હીંચકે બેઠા-બેઠા સોપારી વાતરતા ગુજરાતી વેપારી ઓસરીની કોરે બેઠેલા બે-ચાર મુલાકાતી સાથે આવતીકાલે આંદામાન નિકોબારની ખેપ કરવા નીકળતા જહાજમાં ભરેલા માલની જે ચર્ચા કરતા એ દ્રશ્ય આજના ગુજરાતનાં વિસરાયેલા ઇતિહાસનુ દ્રશ્ય છે. ભુલી જવાની છુટ છે પરંતુ આજે જે કંઇ આપણી પાસે છે તે એક પગે હિંચકાને ઠેસ નાખીને ઝુલતા એ વહાણીયા એટલે કે વાણીયાની એ જમાનામાં ચમકારા મારતી બુદ્વિમત્તાનાં કિરણોનો ઉજાસ છે. કપીલ સિબ્બલ આવા મેનેજમેન્ટ કવોટાનાં નામે વધુ લેવાતી ફીનાં દુશ્મન થવાનું નક્કી કરી બેઠા છે પરંતુ પોતાનાં સંતાનોને કયાં ભણાવવા અને એ માટે કેટલો ખર્ચ કરવો એ અંગેની વાલીઓની સ્વતંત્રતા તે તેઓ બહુ જ સ્પર્શી શકે તેવુ લાગતુ નથી. છતા એ તો નવા પ્રધાન છે નવી સરકાર છે અને નવું શિક્ષણ સત્ર છે… આગે આગે દેખો કયાં હોતા હે…

ધો.૧૦માં સમગ્ર ગુજરાતમાં અમરેલીનો વિદ્યાર્થી ધામેચા સાગર સર્વપ્રથમ

Damecha Sagar Dipakbhai

Damecha Sagar Dipakbhai


અમરેલી,આઝાદીનાં ઘણા વર્ષો બાદ ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં અમરેલી જિલ્લો ઝળહળી ઉઠયો છે.અમરેલી દિપક હાઇસકૂલનાં વિદ્યાર્થી ધામેચા સાગર દિપકભાઇએ ૯૬.૯૨ ટકા સાથે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન હાંસલ કરી અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યુ છે.માર્ચ ૨૦૦૯માં લેવાયેલ માઘ્યમીક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષાનું આજે પરીણામ જાહેર થતા અમરેલી જિલ્લાનું સમગ્ર પરીણામ ૭૫.૮૦ ટકા આવેલ છે. ધો. ૧૦નાં આજે જાહેર થયેલા પરીણામનાં બોર્ડનાં ટોપટેનમાં અમરેલી દિપક હાઇસ્કૂલનાં ધામેચા સાગર દિપકભાઇએ ૬૫૦ માંથી ૬૩૦ માર્કસ સાથે ૯૬.૯૨ ટકા સાથે પ્રથમ ક્રમ મેળવેલ છે. ધામેચા સાગરને અમરેલી જિલ્લાનાં શિક્ષણવિદ્દો અને રાજકીય ક્ષેત્રનાં આગેવાનો જાહેર સંસ્થાનાં આગેવાનો અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી. બોર્ડનાં પરિણામમાં સૌરાષ્ટ્રનાં સાગર સહિત આઠ વિદ્યાર્થીઓએ જવલંત સિઘ્ધીઓ હાંસલ કરી છે. ધામેચા સાગરની સિઘ્ધી બદલ અમરેલીે જિલ્લાનાં શિક્ષણ જગતમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે

સાગરને પેટ્રોકેમ. એન્જિનિયર થવાનું સ્વપ્ન

ધો. ૧૦ બોર્ડની પરિક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાન મેળવનાર અમરેલીનાં ધામેચા સાગરે અનેરા આત્મવિશ્વ્વાસ સાથે પોતે ધારેલ પરિણામ હાંસલ કર્યુ છે. ધો. ૧૦ બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને ઉર્તીણ થનાર અમરેલી દિપક હાઇસ્કૂલનાં વિદ્યાર્થી ધામેચા સાગરનાં જણાવ્યાં પ્રમાણે ધો. ૧૦ની પરીક્ષામાં ધારેલું પરિણામ મેળવવા માટે સતત વાંચન અને મહેનત કરી છે. રાત્રીનાં વાંચનને બદલે વહેલી સવારથી સાંજ સુધી વાંચન-લેખન કરી પરીક્ષાની તૈયારી કરી છે. પરીક્ષાનાં પેપરો પુરા થયાં બાદ પૂર્ણ થયેલા પેપરોનું સોલ્યુશન કરતાં ૯૫ % ધાર્યા હતા. તેને બદલે આજે મને ૯૬.૯૨ ટકા મળ્યાં છે. જેનો મને સંતોષ છે. મારી આ સફળતાનો પાછળનો શ્રેય મારા માતા-પિતા અને શાળાનાં શિક્ષકો શ્રી રાજયગુરૂ અને શ્રી વ્યાસને ફાળે જાય છે. તેવોનો સહયોગ અને અગંત માર્ગદર્શન અને ધારેલું પરિણામ મેળવ્યું છે. આગળ વધી તારે શું બનવું છે ? તેવા પ્રશ્વ્નનાં પ્રત્યુતરમાં ધામેચા સાગરે જણાવ્યું હતું કે મારે સાયન્સ એ-ગૃપમાં જોડાઇ આઇ.આઇ.ટી.ની પરીક્ષા આપી આઇ.ટી. કંપનીેમાં પેટ્રોકેમીકલ્સ એન્જીનીયર બનવાની તીવ્ર ઇચ્છા છે.

આકાશમાં ડોકિયું કરી રહેલા શ્વ્વેત વાદળોનાં આગમન સાથે ગ્રીષ્મની વિદાયનો અણસાર

ચોમાસુ તબકકાવાર આગળ વધી રહ્યું છે. બંગાળના ખાડીમાં સર્જાયાયેલા હવાના હળવા દબાણનો ઘટસ્ફોટ ત્યાં જ થઇ જતા એક ઝંઝાવાતી મુકામ ભારતીય મોસમ વિજ્ઞાને પસાર કરી દીધો છે.પરંતુ હવે ટુંક સમય માં જ જેને પ્રિ-મોનસુન શાવર કહેવાય તેવી વર્ષાનો ગુજરાતની ક્ષિતિજો પર પ્રગટ થશે. લગભગ તમામ પ્રકારની આગાહી જોતા આ વખતનુ ચોમાસુ પણ સારૂ નીવડશે. એક ઘણી નવાઇની જ વાત છે કે હજુ આપણે ત્યાં જળવપરાશના સંયમના નામે મોટું મીંડુ છે.જરૂરિયાત કરતા ચાર ગણો પાણી વાપરવામાં આપણો હાથ હજુ છુટો છે.એ વાત સાચી છે કે અમરેલી, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર પુરતો પાણી પુરવઠો ફાળવી શકતી નથી.પરંતુ સરકારના આયોજકો અને નાણાંની ફાળવણી જોતા લાગે છે કે કમસેકમ આવનારા બે ત્રણ વર્ષમાં એ સમસ્યા તો કાયમ માટે ઉકેલાઇ જશે.પરંતુ આપાણી જે ટેવ છે એ બે ત્રણ વર્ષમાં સુધરે એવુ લાગતુ નથી.ઇસ્રાયલના દાખલાઓ આપીને પર્યાવરણવાદીઓ થાકી ગયા છે.પરંતુ આપણે ઇસ્રાયલ પાસેથી કંઇ શીખ્યા હોય તેવું લાગતુ નથી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી ગુજરાતના એક માત્ર એવા મુખ્ય મંત્રી છે જેણે પોતાના સત્તાકાળ દરમિયાન દુષ્કાળના ત્રણ વર્ષો પસાર કરેલા.તેમણે સમગ્ર ગુજરાતમાં વોટર સ્પેશ્યલ ટ્રેન દોડાવેલી. અમદાવાદ અને રાજકોટ વચ્ચે તો એ જમાનામાં સામસામી વોટર સ્પેશ્યલ ટ્રેનો જ દોડયા કરતી હતી.એ જમાનો બહુ દૂરનો ભૂતકાળ નથી.અને પાછલી પેઢીને ગામના સીમાડે તડકામાં ચોકડી ખોદતા લોકોના ટોળા સાથેના દ્રશ્યો સહિત હજુ યાદ છે. દુષ્કાળમાંથી મુક્ત થયેલા ગુજરાતને હરિયાળુ રાખવાની જવાબદારી માત્ર સરકારની છે એવો એક મોટો અને ખોટો ભ્રમ પ્રજામાં પ્રવર્તે છે.ખરેખર તો દરેક વ્યક્તિએ પોતે કોઇને કોઇ વૃક્ષ સાથે દોસ્તી કરવી જોઇએ ચોમાસુ નજીક આવે છે ત્યારે એવા તમામ લોકો કે જેમણે પોતાની જીંદગીમાં કદી પણ એક વૃક્ષ પણ વાવ્યુ કે ઉછેર્યુ નથી.તેમણે આ ચોમાસે વૃક્ષ સાથેના પોતાના સંબંધોનુ સત્તાવાર ઉદ્દઘાટન કરવાની જરૂર છે.

બાય ધ વે ગંગા અવતરણ જયંતિ અને ભીમઅગીયારસ આ બંને પર્વોને પાણી સાથે વધારે સબંધ છે. સૌરાષ્ટ્રનું હવામાન પલટાયું તે પહેલા એટલે કે, ધરતીકંપ પહેલાના દિવસોમાં ભીમ અગિયારસનાં દિવસે આકાશ ગોરંભાતુ અને વાવણીની લાપસીનાં આંધણ ઘેર ઘેર મુકાતા. હવે તો એ મૌસમ બદલી ગઇ છે અને છતાં આપણે ત્યાં જન્માષ્ટમી અને ભીમ અગિયારસનો મહિમા સરખો છે (બીજી રીતે પણ સરખો છે, ત્રણ દિવસ અગાઉથી જ પાટલા મંડાય જાય છે અને શોખીનો મોડીરાત સુધી ટોળકી જમાવીને જુગાર રમતા થઇ જાય છે) જો કે, છેલ્લા બેત્રણ દિવસથી ગ્રીષ્મ ઋતુએ વિશ્રામ લીધો છે અને આકાશમાં વાદળાઓની હાઉકલી શરૂ થઇ ગઇ છે. એનાથી ધોમધખતા તાપનાં આ વખતનાં લાંબા અનુભવમાંથી પસાર થયેલી પ્રજાને થોડોક નિરાંતનો અનુભવ થયો છે અને એવુ લાગે છે કે, જાઉ..જાઉ..કરતી ગ્રીષ્મ ઋતુ કમ સે કમ એકાદ સપ્તાહમાં વિદાય લેશે અને મેઘરાજાનાં હાથીઓનાં સૈન્ય જેવા વિરાટ વાદળોનાં પડાવ આસમાન પર પોતાનું ગાજવીજ સાથેનું એકચક્રી સામ્રાજય જમાવી દેશે. ગમે તેમ હોય પરંતુ છેલ્લા સાત – આઠ વર્ષથી ચોમાસાઓ રંગતભર્યા આવે છે. વરસાદ એવો જામે છે અને આકાશ એવું તૂટી પડે છે કે સરકારી તો ઠીક ખાનગી નોકરીઓવાળાને પણ રજા રાખવાનું મન થઇ જાય છે અને ગરમા ગરમ ભજિયાની સુગંધ પ્રસરી રહે છે. આ વખતનું ચોમાસુ પણ જમાવટ જ છે. પરંતુ વાવણી કયારે કરવી અને ન કરવી એ માટે નિર્ણય લેવામાં ઘ્યાન રાખવું પડશે. એની વાત વળી ફરી કોઇ વાર અસ્તુ.

કાંગારુઓને હવે એવી અવળી મતિ સુઝી છે કે તેઓ પોતાનાં પગ પર જ કુહાડી મારી રહયા છે.

દાડિયે જાતા હોઇએ કે ખેતર ભાગવું રાખ્યું હોય પરંતુ બાપ- દાદાનાં ખેતર જેવી મજા આ સંસારમાં કયાંય નથી. ભલેને ૨૦૦ વીઘા વાવવા રાખ્યું હોય અને એની સામે ખાલી વીસ વીઘા માલિકીનું ખેતર હોય તો પણ ઇ માલિકીનાં લીમડાને છાંયે જે પવન આવે ઇ સાત સોનાનો હોય છે. ભારતીયો આખી દુનિયામાં છવાયેલા છે અને તેમાંય ગુજરાતીઓતો તમે વિશ્વ્વનાં નકશામાં જયાં આંગળી મુકો ત્યાં છે. પણ પારકા ખેતરમાં તેઓ હવે દુઃખી છે. છેલ્લા કેટલાક સમયથી ભારત પાર ગયેલા ભારતીયો અને એમા આગળ પડતા એવા ગુજરાતીઓ પર વિવિધ પ્રકારનાં સંકટો આવી રહ્યા છે. હવે ઓસ્ટ્રેલિયા ચિત્રમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એક એવો દેશ છે જયાં વસ્તી વધારાની ઝુંબેશ ચાલે છે. વધુ સંતાનો હોય એનું સરકાર તરફથી સન્માન થાય છે. એટલે ઓસ્ટ્રેલિયામાં આવેતુઓ બહુ જોર ન કરી જાય અને આગળ નીકળી ન જાય એની ત્યાંના વતનીઓ હવે સાવચેતી રાખતા થયા છે. મંદીનાં આ દિવસોમાં અમેરિકા અને બ્રિટનમાં અનેક કિસ્સાઓમાં ગુજરાતીઓ સુખી છે અને વતનીઓ દુઃખી છે. જો કે ગુજરાતીઓમાંથી પણ કેટલાક લોકો મંદીના ભોગ બની રહ્યા છે પરંતુ વતનીઓને તો એવંુ જ દેખાય છે કે આ ગુજરાતીઓ વેપારી માનસને કારણે આપણા કરતા વધુ કમાય ચૂકયા છે. હવે રહી રહીને બ્રિટન અને અમેરિકાની પ્રજાને ભારતીયોનાં વિકાસની ઇર્ષા આવવા લાગી છે. બંને દેશોમાં સંખ્યાબંધ એશિયનો છે પરંતુ કિન્નાખોરી માત્ર ભારતીયો તરફ જ વિશેષ હોય એવું જોવા મળવા લાગ્યું છે. આ એક આવનારા દિવસોનો ખતરનાક સંકેત છે. ગુજરાતી પ્રજા હીંચકામાં હોય ત્યારથી એના માતા પિતા અમેરિકા બ્રિટનના સપના જુએ છે. છેલ્લા ૫૦વર્ષથી આ ક્રમ ચાલે છે. અને એનુ પરિણામ એ આવ્યું છે કે, વિશ્વ્વ પર શાસન કરનારા અને અમેરિકામાંથી કાર્યાન્વિત થનારા કેટલાક ઉદ્યોગો પર ભારતીયોનું અભુતપૂર્વ વર્ચસ્વ આવી ગયું છે. એન્ટવર્પમાં હીરા ઉદ્યોગમા, સીલીકોન વેલીમાં સોફટવેર ઇન્ડિસ્ટ્રીઝમાં બ્રિટન અમેરિકામાં હોટેલ – મોટેલ ઉદ્યોગમાં એમ ધીરે ધીરે મહત્વનાં ક્ષેત્રોમાં ભારતીયો ત્યાં પ્રભુત્વ જમાવવા લાગ્યા છે અને વતન ભારતમાં દેશનો આર્થિક વિકાસ દર સતત ઊંચે આવી રહ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં જયાં પણ અદ્દભુત ઉચ્ચ શિક્ષણ મળે છે ત્યાં હજારો ડોલરની ફી ભરીને ભારતની આવતીકાલની પેઢી ભારે પરિશ્રમ કરીને ઉચ્ચત્તમ જ્ઞાન પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે. આ જ સ્થિતિ જો આગળ ચાલે તો ભારત મહસત્તા તો બનતા બનશે પરંતુ એક જ દાયકામાં તે આર્થિક મહાસત્તા બની જશે. વિકસિત રાષ્ટ્રો ભારતને આ જ કારણસર સહેજ ત્રાંસી નજરે જોવા લાગ્યા છે.
ભારત ઘર આંગણે ગરીબી, આતંકવાદ, જાતિવાદ, રાજકીય ખટપટો, ગુનાખોરી, શહેરીકરણ, અવ્યવસ્થા, અપૂરતા સાધનો, બેકારી, અધૂરી તબીબીવ્યવસ્થાઓ, લશ્કરનું બાકી રહેલુ આધુનિકરણ, સરહદોનાં પ્રશ્વ્નો એમ અનેક મોરચે સંઘર્ષ કરે છે. છતાં આંતરરાષ્ટ્રીય તખ્તા પર એનું પોતાનું ચિત્ર એણે છેલ્લા દસ વર્ષમાં ઠેબા ખાતા ખાતા પણ સુધારવાનું ચાલુ રાખ્યું છે અને એને કારણે એક નિશ્ચિત દિશામાં એનો વિકાસ દિવસ અને રાત ધમધમી રહ્યો છે. આટલી પૂર્વભૂમિકા સાથે વાંચકોને આપણે ઓસ્ટ્રેલિયાના પ્રશ્વ્ન તરફ લઇ જઇએ. ઓસ્ટ્રેલિયા દુનિયાનો એક એવો દેશ છે. જે વિદેશી હુંડિયામણ જેટલંુ કમાય છે તેમાંનુ ૭૫ ટકા શિક્ષણમાંથી કમાય છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અમેરિકા અને બ્રિટનની સરખામણીમાં વધુ સારુ શિક્ષણ આપે છે અને ઓછી તથા હપ્તા પદ્વતિથી ફી લે છે. વળી ઓસ્ટ્રેલિયામાં જે ભારતીયો ભણે તેને ત્યાં ને ત્યાં કાયમી વસવાટ કરવાની અને નોકરીની અદ્દભુત સુવિધાઓ ઓસ્ટ્રેલિયન સરકાર આપે છે એને કારણે ભારતીયોએ ત્યાં સારી એવી જમાવટ કરી દીધી છે. હવે સ્થિતિ એ આવી છે કે ત્યાં રહેલા ભારતીયો મંદીના દિવસોમાં વતની ઓસ્ટ્રેલિયનનોની આંખમાં કાચના કણાની જેમ ખટકી રહ્યા છે. છેલ્લા છ મહિનામાં ભારતીયોને નિશાન બનાવીને ઓસ્ટ્રેલિયનોએ હુમલાઓ કર્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે ભારતીયો પરનાં હુમલાઓના કિસ્સાઓને છુપાવ્યા છે અને કેટલાક લોકોએ હવે સ્થળાંતર પણ શરૂ કરી દીધંુ છે. આ સ્થિતિનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓએ એની સંસદને ઘેરીને દેખાવો કરી પોતાનાં અધિકારો માટે મોટી લડત છેડી છે. જેને કારણે સમગ્ર વિશ્વ્વમાં શિક્ષણ માટે કંકોતરી વહેચતા ફરતા ઓસ્ટ્રેલિયન રાજદૂતોની ઝુંબેશમાં મોટુ ગાબડુ પડી ગયું છે અને આવનારા દિવસોમાં કોઇ પણ એશિયન વિદ્યાર્થી ભણવા માટે ઓસ્ટ્રેલિયા ન જાય તે સ્થિતિ સર્જાઇ છે. ભારતમાં ઓસ્ટ્રેલિયન રાજદૂતાવાસે હમણા બે વર્ષ પહેલા જ લોન્ચ કરેલો ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી પાથ-વે પ્રોગ્રામ (એયુપીપી)ને આ આંદોલનોને કારણે મોટો ફટકો લાગ્યો છે. સમગ્ર ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં ભારતીય વિદ્યાર્થીઓનો સિંહફાળો છે. ઉપરાંત વિકટોરીયામાં ૯૫હજાર ભારતીય વિદ્યાર્થીઓનાં લગભગ ૫૦હજાર જેટલા મકાનો છે. ભારતીયોનાં આટલા મોટા મુકામો હવે વિના ધરતીકંપે વતનીઓની કિન્નાખોરીને કારણે હચમચવા લાગ્યા છે. જો ઓસ્ટ્રેલિયન સરકાર યોગ્ય નિર્ણય નહિ લે તો આ સ્થિતિનાં ગંભીર પરિણામો સામે આવશે.

ગુજરાતમા ધોરણ ૧૨ સાયન્સનું આ પરિણામ કેવું આવ્યું ? સહુને માટે કંઇંક બોધપાઠ છે

ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં જે વિદ્યાર્થીઓ ઊંચી ટકાવારી લઇ આવ્યા છે તેમનું તો પોતાના ભવિષ્યના પથ તરફ પ્રયાણ ટુંકસમયમાં શરૂ થઇ જશે. પરંતુ જે વાલીઓના સંતાનો અણધાર્યા પરિણામોનો ભોગ બન્યા છે તેમની પરિક્ષા ખરેખર હવે શરૂ થાય છે. આપકા સમય શુરૂ હોતા હૈ અબ…બાળકો જયારે ધાર્યા કરતા ઓછા પરિણામો લાવે ત્યારે એમને બે જ બાબતની જરૂર હોય છે, આશ્વ્વાસન અને માર્ગદર્શન. પરંતુ આપણે કંઇક ત્રીજી બાબત એને આપતા હોઇએ છીએ. એ છે ઠપકો. ઠપકાનો આ સમય નથી. ઠપકો આપનાર વાલીઓએ સહુથી પહેલા પોતાની માર્કશીટો ઘરનાં આગલા રૂમમાં પ્રદર્શનમાં મુકવી જોઇએ. અલબત્ત ગઇ પેઢીનાં એવા પણ સીતારાઓ છે જેઓ એક ફાનસમાં પાંચ ભાંડરડા વાંચતા હોય અને તમામ ઊંચા પરિણામો લાવીને ઘરના અંધારીયા ખોરડાને પોતાનાં અથાક પરિશ્રમથી ઉંચે લાવીને અજવાળતા હોય. ધોરણ ૧૨ સાયન્સની સહુથી મોટી સમસ્યા એ છે કે, કુલ પરિણામમાં દસ ટકા વિદ્યાર્થીઓ એવા હોય છે જેઓ ૮૦થી ૯૦ટકાની રેંજમાં ચાલતા હોય છે અને તેમનું પરિણામ ૫૦થી ૬૦ ટકા વચ્ચે આવે છે.આવા કિસ્સાઓમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોને બદલે મેઇન કોલેજનાં અભ્યાસક્રમો સ્વીકારવા પડે. જો કે હવે બી.એસસી., માઇક્રોબાયોલોજી ઉપરાંત બાયોટેક અને બાયોકેમ પણ થાય છે. ઉપરાંત ૧૨ સાયન્સ પછી બીસીએમાં પણ જઇ શકાય છે, બીબીએમાં પણ જઇ શકાય છે. કેટલાક ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ કોમર્સમાં પણ ઝંપલાવે છે. બીબીએની સરખામણીમાં ઇંગ્લિશ મીડીયમમાં જેઓ બીકોમ કરે છે તેઓ આગળ નીકળી જતા હોવાનું શિક્ષણવિદ્દોનું તારણ છે. બીજા અસંખ્ય પરચુરણ અભ્યાસક્રમો છે જે વ્યવસાયલક્ષી છે. પરંતુ એ આડી અવળી ગલીઓમાં ન ઉતરીયે તો પણ મુખ્ય પ્રવાહમાં વિકાસની ઘણી તકો છે. આજે એમએસસી ફીઝીક્સ કે એમએસસી બાયોલોજીના વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ છે. બી.એડમાં પણ વિજ્ઞાનની સીટો હવે ભરાતી નથી અને એ જગ્યાઓ ભાષામાં રૂપાંતરીત કરવી પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બી.એડ એડમીશન વિભાગનાં વડા ડોકટર રામાનુજની નજરે આખા સૌરાષ્ટ્રને જુઓ તો ખ્યાલ આવશે કે, વિજ્ઞાનની વિદ્યાશાખાઓમાં બી.એડ કરનારા લોકોની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જાય છે. વ્યક્તિગત ટકાવારીના ધોરણે જુઓ તો ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ નીચુ આવ્યું છે એને કારણે પ્રવેશના ધોરણોની ટકાવારી પણ નીચી જશે અને આ વર્ષે સરકારે જે નવી એન્જિનિયરિંગ કોલેજોને મંજૂરી આપી છે તેમા પણ બહુ ઉદારતાના ધોરણો દાખલ કરવાના રહે છે. બી.એડ અને પીટીસીમાં મેનેજમેન્ટ કવોટાની સીટોની હાલત હવે લગભગ ખાલી રહેવા જેવી થઇ ગઇ છે. જે મેનેજમેન્ટ કવોટાની સીટો એક જમાનામાં બે – બે લાખ રૂપિયાથી ભરાતી હત તેનાં હવે ૧૦હજાર રૂપિયા આપવા પણ કોઇ તૈયાર થશે કે કેમ ? એ ગંભીર સમસ્યા છે. આ વર્ષે જ ગુજરાતની કેટલીક પીટીસી અને કેટલીક બી.એડ કોલેજોને તાળા વાગવાની સંભાવના છે. બી.એડ અને પીટીસીના ક્રેઝને કારણે રાતોરાત જે બીલાડીના ટોપ ઉગી નીકળ્યા હતા તે હવે મશરૂમના શાક તરીકે પણ વાપરી શકાય તેમ નથી. પરંતુ જે સંસ્થાઓએ આ પ્રકારનાં અભ્યાસક્રમો નિષ્ઠાપૂર્વક અને આદર્શ રીતે ચલાવ્યા છે તથા ઉંચા પરિણામો બેસાડયા છે તે કોલેજો ચાલવાની છે અને કાયમ ચાલવાની છે. એટલે કે શિક્ષણ ખાતર શિક્ષણ ચાલુ રહેશે પરંતુ વેપાર ખાતર શિક્ષણ બંધ થઇ જશે. વાલીઓ માટે કે સંચાલકો માટે શિક્ષણ એ કોઇ પાર્ટ ટાઇમ ચિંતનનો વિષય નથી. જેઓ એમાં ઓતપ્રોત રહે છે અને સતત ઘ્યાન આપે છે તેમના જ અનુક્રમે વિદ્યાર્થીઓ અને સંતાનો આ ક્ષેત્રમાંથી કશુંક નક્કર સત્વ તત્વ પ્રાપ્ત કરીને જીવનના રોમાંચનો અનુભવ કરી ઊંચુ માથુ રાખી સફળતાથી દીક્ષિત થાય છે. ધોરણ ૧૨ સાયન્સનાં પરિણામોની બીજી એક સમસ્યા એ પણ છે કે આ વિદ્યાર્થીઓએ છેલ્લા બે વરસમાં શાળા પાઠય પુસ્તક અને ટયુશન એ સીવાયની દુનિયા જોઇ જ હોતી નથી. જાણે કે, એમનાં આ દુનિયા સાથેના વર્ષોમાંથી બે વર્ષ બાદ ન થઇ ગયા હોય.! સાયન્સ કોલેજો પણ ચિંતીત પરિસ્થિતિમાં છે. આવનારા વર્ષોમાં અનેક અઘ્યાપકો સરપ્લસ થવાની સ્થિતિમાં છે. ગ્રાન્ટેડ કોલેજોની હાલત તો આવનારા વર્ષોમાં વધુ ખરાબ થવાની સંભાવના છે. જે અઘ્યાપકોએ ઊંચા પગારો લઇને વિદ્યાર્થીઓને ભણાવ્યા નથી અને રખડતા છુટ્ટા મુકી દીધા છે એમને પણ એ જ સ્થિતિમાં આવનારા વર્ષોમાં સામનો કરવાનો આવશે કારણ કે, ધોરણ ૧૨ સાયન્સ પાસ કરીને આવેલા વિદ્યાર્થીઓનું આકર્ષણ મેડીકલ એન્જિનિયરિંગ જેવી પ્રમુખ વિદ્યાશાખાઓ બાદ સાયન્સ કોલેજને બદલે બીસીએ કોલેજ કે બીબીએ કોલેજ તરફ વધુ છે. આનો સારવાળો બહુ જોખમી રીતે વિદ્યાશાખાઓનાં પ્રવાહને પ્રભાવિત કરશે એવુ અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓનું વલણ જોતા દેખાઇ રહ્યું છે. શિક્ષણનું અને મેડીકલનું ક્ષેત્ર અત્યંત પવિત્ર ક્ષેત્ર છે. જેમ ધર્મમાં એમ કહેવાય છે કે, અન્ય ક્ષેત્રોમાં પૃથ્વી કરેલા મનુષ્યનાં પાપોમાંથી એને ત્યારે મુક્તિ મળે છે જયારે એ તીર્થક્ષેત્રમાં પ્રવેશે છે. પરંતુ તીર્થક્ષેત્રમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે એવુ કોઇ ક્ષેત્ર આ બ્રહ્માંડમાં નથી. શિક્ષણ અને મેડીકલ એ બંને પણ એવા જ પવિત્ર ક્ષેત્ર છે કે જેમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળતી જ નથી. અહીનું અહી જ ભોગવવાનું છે. પોતાના વાંકે સહન કરવું પડે તો વિદ્યાર્થીને વાંધો નથી પરંતુ ગુરુજનોની આળસના વાંકે જે વિદ્યાર્થીઓએ સહન કરવું પડે છે તેના નીસાસા એ ગુરુજનોને ચોક્કસ લાગે છે. આ વર્ષે જે થયું તે, હે સરસ્વતીનાં ઉપાસકો નવા શૈક્ષણિક વર્ષમાં ઘ્યાન રાખજો….

Dr.Kalam,Narendra Modi live at PDPU Convocation VIDEO 5:30pm IST

Narendra Modi Live

Narendra Modi Live

પ્રાથમિક શિક્ષણ સત્ર શરૂ થતાં પહેલા વાલીઓ માટે આત્મચિંતન

ગાંધીનગરમાં સચિવાલયમાં એક જમાનામાં એસ.ડી.ગોસ્વામી નામના યુવક વિકાસ અધિકારી હતા, એમનું એક સૂત્ર હતું – અંધારે ન રહેજો, દિવો કરી લેજો. ગુજરાતના હજારો યુવાનોને એમણે વિવિધ સરકારી શિબિરો દ્વારા તાલીમ આપી. ખૂબજ પ્રેરણાદાયી વ્યક્તિત્વ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી કલ્યાણ અધિકારી તરીકે ધીરુભાઇ ડોબરિયા હતા, એ પણ આવા જ પ્રેરણામૂર્તિ, એમણે પણ હજારો યુવાનોને, યુવતીઓને શિબિરો દ્વારા તૈયાર કર્યા. હવે આવા અધાધિકારીઓ બહુ જોવા મળતા નથી. પોતાના કાર્યક્ષેત્રને જીવનક્ષેત્ર જ બનાવી દેવું એ આ યુગનું સૌથી મોટુ તપ છે. સાચું પ્રોફેશનાલિઝમ આ જ છે. બધા લોકો સેવા કરી શકતા નથી, એ તો કોઇ વિરલા જ કરી શકે, પણ જે કામ કર્મચારી – અધિકારીઓને સોંપવામાં આવ્યું હોય છે, એ ય જો તેઓ નિષ્ઠાપૂર્વક કરે તો બહુ થઇ ગયું. સમાજ પણ આનાથી વધારે અપેક્ષા રાખતો નથી.
મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામે વર્ષો પહેલા પ્રાથમિક શાળામાં અબ્દુલભાઇ તૈબાણી નામના શિક્ષક હતા. તેઓ શાળાએથી જ આખા વર્ગને સીધા જ પોતાના ઘરે લઇ જતા અને ઘરે આખા કલાસને વિનામૂલ્યે વધારાની બે કલાક ટયુશન ભણાવતા. કોઇ વાર વહેલી સવારે ઘરે બોલાવતા. વચ્ચે વિદ્યાર્થીઓને ચોકલેટ – બિસ્કીટ પણ આપતા.એક એક વિદ્યાર્થીમાં વ્યક્તિગત ઘ્યાન આપીને ટકોરાબંધ તેજસ્વી બનાવતા. લગભગ બધા જ વિષયોના નિષ્ણાત, ચિત્ર, સંગીત, રમગત ગમતમાં પણ એવા જ એક્કા અને વિદ્યાર્થીઓ પ્રત્યે અપાર વાત્સલ્ય. આવા શિક્ષકો જીવનઘડતરમાં કમાલ કરી શકે છે.
રાજસ્થાનમાં બાંસવાડા જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં એક શાળા છે. સાવ નાના પરિવારોના બાળકો અહીં ભણવા આવે છે. પરંતુ એના આચાર્ય એક અલકેમિસ્ટ જેવા જાદુગર છે. માનવમનના કીમિયાગર. એવું અદ્દભુત ભણાવે અને કાચા હીરાઓને એવા પહેલ પાડે કે મેજિક જ લાગે. આજ સુધીમાં એ શાળાના તેર વિદ્યાર્થીઓ આઇ.એ.એસ. અધિકારીઓ બની ચુકયા છે. અને એ તમામ તેજસ્વી અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક શાળામાં એ ગામડામાં આચાર્ય પાસેથી અમે જે શિક્ષણ અને તાલીમ લીધા એને આધારે જ અમારો સર્વોત્તમ જીવનમાર્ગ ખુલ્લો થયો. ઘણીવાર આપણે બાળકોની પાછળ પડીને એને તેજસ્વી બનાવવા માટે, વધુ ટકા લાવવા માટે ધમપછાડા કરતા હોઇએ છીએ, પરંતુ જયાં સુધી કમાલ કરનારા શિક્ષક ન મળે ત્યાં સુધી ચમત્કાર સર્જાતો નથી. એક માન્યતા છે કે કોઇપણ વ્યક્તિની તેજસ્વીતા એના પ્રાથમિક શાળાના શિક્ષકની બૌદ્વિક ઉંચાઇથી વધુ ન હોઇ શકે. મોરારિબાપુ પોતાના દાદાને જ પોતાના શિક્ષક અને ગુરુ માને છે. જે રીતે તેઓ બાળમોરારિને ભણાવતા અને ચોપાઇઓ કંઠસ્થ કરાવતા એના ઉપર જ આ મહાન કથાકારની પ્રતિભાનું ઘડતર થયું છે. બાળકોના પ્રારંભિક વર્ષો બહુ જ મૂલ્યવાન હોય છે. એનો એક – એક દિવસ કિંમતી છે, એ વેડફાઇ ન જાય એનું ઘ્યાન કોણ રાખશે ?હકીકતમાં માતાપિતા અને શિક્ષકોની આ સંયુક્ત જવાબદારી હોય છે. ટુંક સમયમાં જ નવા શૈક્ષણિકસત્રની શરૂઆત થઇ જશે. વેકેશનમાં આખું ઘર માથે લેનારો મામા મહિનો પૂરો થઇ જશે અને ફરી શાળાના આંગણાઓ પર માસૂમ પગલાઓ છવાઇ જશે.
અમરેલી રેલવે સ્ટેશનના કવાટર્સમાં એક ભટ્ટદાદા કરીને નિવૃત્ત શિક્ષક છે, એ પણ સમર્પિત શિક્ષક છે. મોંઘાભાવના ટયુશનોની ધમધમતી બજાર વચ્ચે તેઓ પોતાના આંગણે ધોરણ ૮થી ૧૨ની વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ટયુશન આપે છે. વિજ્ઞાન, ગણિત, ઇંગ્લિશ જેવા અઘરા વિષયો તેઓ એકલે હાથે ભણાવે છે. સંખ્યાબંધ દીકરીઓ એમને ત્યાં ભણવા જાય છે. મહત્વની વાત એ છે કે એમનો પુત્ર રેલવેમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે. દાદાનું લગભગ આખું પેન્શન આ વિદ્યાર્થીનીઓને ભણાવવા માટેની વિવિધ સગવડોમાં ખર્ચાઇ જાય છે. પાછા કેટલાકને તો તેઓ પાઠયુપુસ્તકો પણ લઇ આપે છે. દીકરો અને વહુ દાદાને ઘરઆંગણે સેવાની આ પ્રવૃતી કરવા દે છે એ જ મહત્વની વાત છે. આજે મોટાભાગના દીકરાઓની નજર વડીલોના પેન્શન ઉપર હોય છે ત્યારે એમનું પેન્શન એમની રીતે વાપરવાની દેવાની છૂટ આપવી એ પણ એક પ્રકારનું શ્રવણકર્મ છે. આવા કિસ્સાઓમાં દાદા અને પરિવાર બંને સમાન અભિનંદનના અધિકારી હોય છે. એક સાચા અર્થના શિક્ષક સુધી બાળકને પહોંચાડવો – ચાહે શાળામાં કે ટયુશનમાં, એ વાલીઓની સૌથી મોટી જવાબદારી બની ગઇ છે. કેટલાક જ શિક્ષકો કે જેમનામાં સ્પોર્ટસના કોચ જેવી લાક્ષણિકતા હોય છે. તેમના હસ્તક જો બાળકને સોંપીએ તો એની જિંદગી બની જતી હોય છે. ખાસ તો પ્રાથમિક શિક્ષણના વર્ષોમાં જયારે બાળકની રમવાની ઉંમર હોય છે ત્યારે એને અને વિદ્યાસંસ્કારને પારસ્પરિક જોડવા તે સૌથી મોટી કસોટી છે અનેક વાલીઓ ત્યારે જાગે છે જયારે બાળક હાઇસ્કૂલના પગથિયા ચડે છે. પરંતુ ત્યા સુધીમાં તો એની પાયાની ઇમારત ચણાઇ ચૂકી હોય છે. નવા સત્રમાં અપેક્ષા રાખીએ કે પ્રાથમિક શિક્ષણના મહામૂલા વર્ષો બાળકો માટે ખરા અર્થમાં મૂલ્યવાન બને તેટલો રસ લઇએ.

કૃષિ મહોત્સવ એટલે કૃષિપ્રધાન વિસ્તારનો દીપોત્સવ

આઝાદી પહેલા ઇ.સ.૧૯૦૦ ની શરૂઆતમાં જયારે કારમો દુષ્કાળ પડયો ત્યારે કૃષિપ્રધાન વિસ્તાર કાઠીયાવાડનાં ખેડુતો વર્ણવી ન શકાય તેવી કપરી સ્થિતિમાં મુકાયા હતા. હાલનાં સંજોગોમાં ભુતકાળમાં પડયો તેવો કારમો કે તેનાથી પણ વધારે કપરો દુષ્કાળ પડે તો ખેડુતો તે સમયની સ્થિતિમાં હરગીજ મુકાય તેમ નથી. એ વસ્તુ પુરી છે કે ત્યારે રાજાશાહી હતી અત્યારે લોકશાહી છે પણ સંસ્કૃતની પહેલી કહેવત યથા રાજા તથા પ્રજા મુજબ કૃષિકારો નાં હિત માટે સરકાર જાગે છે અને કાઠીયાવાડને તો મોસાળે વિવાહ અને માં પીરસશે જેવો સમય છે. રાજયનાં કેબીનેટમંત્રી દિલીપભાઇ સંઘાણી પાસે કૃષિ વિભાગનો હવાલો છે ગુજરાતના પ્રેમી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી છે જેના લીધે આજે ગુજરાત કૃષિક્ષેત્રે દેશમાં એક નંબરના સ્થાન ઉપર પહોચ્યું છે. આ સમયે સરકાર દ્વારા ચાલી રહેલા કૃષિ મહોત્સવ એટલે કાઠિયાવાડની જનતાની જેમ દેખાતી હોય તેમ પ્રગતિશિલ અને ઉધમી ખેડુતો માટે દિપાવલી સમો સમય છે.ખેડુતોની મહેનત અને સિઘ્ધિની અહી કદર થાય છે કૃષિપ્રધાન ગુજરાતમાં કે કાઠિયાવાડમાં કૃષિ મહોત્સવ દરમિયાન સરકાર વધુમાં વધુ કૃષિકારો જોડાય અને લાભ લે તેવા પ્રયાસો કરે છે પણ તે પ્રયાસો વહીવટીતંત્રના પ્રયાસો હોય છે અને સામાન્યત સૌના અનુભવ પ્રમાણે તે સો ટકા સફળ નથી હોતા. પણ ગામડે ગામડે જવાબદાર આગેવાનો કે સરપંચોને આ કાર્યમાં જોતરી સરકાર મુળ ખેડુતોને આ મહોત્સવમાં લાવે અને તેને સાંભળે, મહોત્સવમાં તંત્ર અને કૃષિ એક બીજાના ખરા અર્થમાં પુરક બને ત્યારે કૃષિકારોને કાયમ માટે દિપાવલી હશે તેમા બે મત નથી.